દિલ્હી: ભજનપુરામાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ ઘરના મોભી શંભુના મામ પ્રભુ મિશ્રાએ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. કહેવાય છે કે પૈસાની લેતીદેતીને લઈને પરિવારમાં વિવાદ હતો. ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભજનપુરામાં બુધવારે એક જ પરિવારમાંથી 5 લોકોના મૃતદેહો મળી આવતા સન્નાટો છવાઈ ગયો હતો. મૃતકોમાં પતિ પત્ની અને 3 બાળકો સામેલ હતાં. પોલીસે જણાવ્યું હતું કે મકાનનું તાળું બહારથી મારેલું હતું. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને સૂચના આપી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. 


ઘરના મોભી શંભુ ચૌધરી
મૃતકોમાં ઈ રિક્ષા ચલાવનારા ઘરના મોભી શંભુ ચૌધરી, તેમની પત્ની સુનીતા અને બાળકો શિવમ, સચિન અને કોમલ સામેલ હતાં. શંભુ બિહારના સુપૌલ જિલ્લાના રહીશ હતાં. કહેવાય છે કે જે ઘરમાં લાશો મળી, ત્યાં તેઓ પાંચથી છ મહિનાથી રહેતા હતાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...